🤷♀️ ઋતુ બદલાતા આપણા શરીરમાં ઘણા પ્રકારના ચર્મરોગો થવાની સમસ્યા રહેતી હોય છે. જેમ કે દાગ, ધાધર, ખરજવું કે ખંજવાળ જેવી સમસ્યાઓ🥴થતી હોય છે. તેનાથી છૂટકારો મેળવવા માટે આપણે અનેક પ્રકારની દવાઓમાં💊ખર્ચો કરીએ છીએ તેમજ અનેક પ્રકારની મોંઘી ટ્યુબ અને મલમનો ઉપયોગ કરીએ છીએ. એટલો ખર્ચો કરવા છતાં પણ સમસ્યા જડમૂળમાંથી જતી નથી.
😈ચર્મરોગો એવા છે કે જેને દુર કરવા ખુબ જ મુશ્કેલ હોય છે. પરંતુ આજે અમે તમને તેનો એક એવો ઘરેલું ઉપચાર જણાવશું જે એક પણ રૂપિયાની દવા💊કે ટ્યુબ વગર 100% તમારા જીદ્દી અને જૂનામાં જુના ચર્મરોગને જડમૂળમાંથી ખતમ કરી દેશે. અને તમારી ચામડીને પહેલા જેવી બનાવી દેશે.
- એલોવેરા જેલ (પહેલી સામગ્રી)
આ ઉપાય માટે સૌપ્રથમ એક ફ્રેશ🍃એલોવેરા લેવું. કારણ કે એલોવેરામાં ખંજવાળ શાંત કરવાનો ગુણ હોય છે. એલોવેરાની ઉપરની પરત કાઢી તેનું જેલ એક પાત્રમાં કાઢી લેવું. બે થી ત્રણ ચમચી એલોવેરા જેલ હોવું જોઈએ. અહીં એક ખાસ વાત ધ્યાનમાં રાખવી એલોવેરાનો ઉપયોગ કરતા પહેલા એલોવેરને બરાબર ધોઈ લેવું. ત્યાર બાદ તેને પાંચ મિનીટ સુધી સૂકવવા દેવું ત્યાર બાદ ફરીથી ધોવું અને પછી તેને જેલ બનાવવા માટે ઉપયોગમાં લેવું.
- લીમડાની પેસ્ટ (બીજી સામગ્રી)
આપણે બધા જાણીએ છીએ કે લીમડાનો🍃ઉપયોગ સદીઓથી ચામડીના રોગો માટે કરવામાં આવ્યો છે. લીમડો માત્ર દાગ, ધાધર ખંજવાળ મટાડે છે એટલું જ નહિ પરંતુ તેનો ઉપયોગ તમારા ત્વચાને ઇન્ફેકશન તેમજ બળતરાથી પણ છૂટકારો આપાવે છે. 🍃લીમડાની પેસ્ટ બનાવવા માટે એક કટોરી લીમડાના પાંદ લેવા. પાંદને બરાબર ધોઈને સાફ કરી લેવા.ત્યાર બાદ તેમાં એક થી બે ચમચી પાણી ઉમેરીને તેને મિક્સરમાં પીસીને તેની પેસ્ટ બનાવી લો.
- કપૂરની ગોળી (ત્રીજી સામગ્રી)
આ ઉપાય માટે ત્રીજી સામગ્રી રહેશે કપૂરની ગોળી. તમને જણાવી દઈએ કે આપણા પૂર્વજો કપૂરનો ઉપયોગ ચર્મરોગો માટે કરતા હતા. કપૂર ચામડીના રોગો માટે ખુબ જ ફાયદાકારક છે. માટે આ ઉપાય માટે કપૂરની એક ગોળી લેવાની છે અને તેને પીસીને તેનો પાવડર બનાવી લેવાનો છે.
- ત્રણેય સામગ્રી મિક્સ કરીને પેસ્ટ બનાવવાની રીત
સૌપ્રથમ એક સ્વચ્છ કટોરીમાં🥣દોઢ ચમચી લીમડાની પેસ્ટ લેવી. તેમાં બે ચમચી એલોવેરા જેલ ઉમેરવું. ત્યાર બાદ તેમાં કપૂરની ગોળીનો પાવડર ઉમેરવો. હવે આ ત્રણેય વસ્તુને બરાબર રીતે મિક્સ કરવી. બે થી ત્રણ મિનીટ સુધી સતત તેને સારી રીતે મિસ્ક કરવું જેથી લીમડાની પેસ્ટમાં એલોવેરા જેલ અને કપૂર બરાબર રીતે ભળી જાય.
- પેસ્ટ ઉપયોગ કરવાની રીત
ચામડીના જે ભાગમાં દાગ, ખંજવાળ, ધાધર, બળતરા વગેરે જેવી સમસ્યા છે. ચામડીના તે ભાગ પર આ પેસ્ટ લગાવવાની છે. આ પેસ્ટને રૂ (કોટન)ની મદદથી લગાવવી અથવા તો જો તમે હાથ વડે લગાવો છો તો ખાસ ધ્યાન રાખવું કે તમારા હાથ બિલકુલ સ્વચ્છ હોય. ચામડીનો અસરકારક ભાગ આ પેસ્ટથી ઢંકાઈ જાય એટલી પેસ્ટ ત્યાં લગાવવી છે.
જયારે આ પેસ્ટ બરાબર રીતે સુકાય જાય ત્યાર બાદ તેને સાધારણ પાણીથી સાફ કરી લેવી. એક વાતનું ધ્યાન રાખવું કે વધારે પડતા ઠંડા કે ગરમ પાણીનો ઉપયોગ નથી કરવાનો. પેસ્ટને હટાવવા માટે નોર્મલ અને સ્વચ્છ પાણીનો ઉપયોગ કરવાનો છે.
આ પેસ્ટ લગાવ્યા બાદ તરત જ તમને તેમાં રાહત જોવા મળશે.તેમજ નિયમિત તમે આ ઉપચાર લગાવો છો તો થોડા જ દિવસમાં તમારી ચામડીનો ગમે તેવો રોગ કે ઇન્ફેકશન હશે તે દુર થઇ જશે અને તમને લાગશે પણ નહિ કે ચામડીના તે ભાગમાં ક્યારેય કોઈ રોગ થયો હતો.તમારા કોઈ પણ પ્રકારના ચર્મરોગને 100% દુર કરી દેશે.
આ વાતનું ખાસ ધ્યાન રાખવું
આ પેસ્ટનો ઉપયોગ કરતી વખતે એક ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે જેટલા દિવસ સુધી તમે આ પેસ્ટનો ઉપયોગ કરો છો એટલા દિવસ સુધી તમારે ચામડીના અસરકારક ભાગ પર સાબુ, લોશન જેવી કોઈ પણ કોસ્મેટીક વસ્તુનો ઉપયોગ કરવાનો નથી. જો કોઈ કોસ્મેટીક વસ્તુનો ત્યાં ઉપયોગ કરશો તો ઉપચારનો લાભ થશે નહિ.
આવી જ બીજી માહિતી માટે આ 👉 “જીવન ઉપયોગી માહિતી” 👈 પેજ ને લાઈક કરો. તેમજ આ પેજ પર આવતા તમામ લેખ તમારા જીવનને વધુ પોઝીટીવ અને સમૃદ્ધ બનાવવામાં મદદ કરશે. નીચે 👇 આપેલું લાઈકનું બટન 👍 પણ દબાવી દેજો.. જેથી આવા જ બીજા લેખ તમને મળતા રહે. 🙏